Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મહમદીબાગમાં નિવૃત આરએમઓએ પથ્થરના ઘા કરવાની ના પાડતાં હુમલો

પડોશમાં રહેતાં છોકરાના વાલીએ પાઇપથી ફટકાર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૭: કોઠારીયા સોલવન્ટ નજીક પરીન ફર્નિચર પાછળ મહમદી બાગ શેરી નં. ૧૦માં મસ્જીદ પાસે રહેતાં પાલીતાણા હોસ્પિટલના નિવૃત આર.એમ.ઓ. પર પડોશીએ પ્લાસ્ટીકના પાઇપથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

મહમદીબાગમાં રહેતાં ડો. મહમદભાઇ ઉસ્માનભાઇ ખેબર (ઉ.૬૫)ને રાતે સાડા નવેક વાગ્યે ઘર પાસે રહેતાં નોૈશાદખાન ઇકબાલખાન પઠાણે પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં દવાખાને ખસેડાતાં ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. ડો. મહમદભાઇ પાલીતાણા હોસ્પિટલના નિવૃત આર.એમ.ઓ. છે. તેના પડોશીના છોકરા પથ્થરના ઘા કરતાં હોઇ તેને આ રીતે ઘા ન કરવા સમજાવતાં બોલાચાલી થતાં હુમલો કરાયો હતો. હેડકોન્સ્ટેબલ રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)