Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોલીસ ભરતી સંદર્ભે જનસેવા કેન્દ્રોમાં અરજદારો ઉમટયા...

રાજકોટઃ ગુજરાત સરકારે પોલીસ ભરતીમાં અને પીઆઇ-PSI ની ભરતી સંદર્ભે તારીખો લંબાવતા આવક અને ક્રિમીલેયર દાખલા અંગે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઇનો લાગી રહી છે, તંત્રે આ લોકો માટે પાણી અને મંડપની વ્યવસ્થા કરવી જરૂરી બની ગયું છે, આજે પણ ૧પ૦ થી વધુ લોકો સવારથી દોડી આવ્યા હતા, અંદર કાઉન્ટર વધારવા પડયા હતા, તસ્વીરમાં ધોમ તડકામાં જનસેવા કેન્દ્ર બહાર અરજદારોની લાઇનો અને સેન્ટ્રલી એવી સેવા કેન્દ્રની અંદર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

(3:03 pm IST)