Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કાલે ગુરૂપુષ્યામૃત સિધ્ધયોગ : માંડવી ચોક દેરાસરે ભવ્ય આંગી

રાજકોટ, તા. ર૭ :  શહેરના ૧૯પ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર ખાતે કાલે તા. ર૮ ના રોજ ગુરૂપુષ્યામૃત સિધ્ધયોગના રોજ પરમાત્માની ભવ્ય હીરા-સોના-રૂપાની આંગી રચવામાં આવશે. આંગીના દર્શન સવારે ૧૦ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આંગીનો લાભ જીતુભાઇ ગાંધી તથા ભરતભાઇ અગ્રવાલ (રાજલક્ષ્મી જવેલર્સ) પરિવારે લીધેલ છે. તેમ રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળાએ યાદીમાં જણાવી ભાવિકોને ભવ્ય આંગીના દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. 

(3:59 pm IST)