Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઉપલાકાંઠે બેઠા પુલની મરામત-ગંદકી સાફ કરો : આંદોલનની ચીમકી

કોંગ્રેસ સેવાદળ દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટ : શહેરના રામનાથ પરા અને ઉપલાકાંઠા તરફ અવર જવર કરતા પુલ જો ગુરૂવાર સુધીમાં મરામત કરી ગંદા પાણી સાફ સફાય નહિ કરવામાં આવે તો કોંગ્રેસના રણજીત મંુધવા તથા ભાવેશ પટેલએ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે મુંધવાએ કમિશ્નર અમીત અરોરાને પત્ર લખની જણાવ્યુ હતુ કે શહેરમાં હાલમાં તમામ વિસ્તાર અને હાદ સમા ચોક બ્રીજના કારણે બંધ છે ત્યારે રામનાથ પરા અને સામાકાંઠાને જોડતો કપીલા હનુમાન મંદિર વાળો બેઠો પુલ છેલ્લા ૬ મહિનાથી વરસાદના કારણે બંધ અને તુટેલી હાલતમાં હોય અવાર -નવાર લોકોની રજુઆત કરવામાં આવેલ છે. આ પુલ તાકિદે સાફ કરાવવા માંગ કરી છે. 

(3:20 pm IST)