Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ભવાનીનગરના રાણાભાઇ બથવારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૮: રામનાથપરા ભવાનીનગરમાં રહેતાં રણજીતભાઇ ઉર્ફ રાણાભાઇ માણસુરભાઇ બથવાર (ઉ.૫૦) વર્ષોથી માનસિક તકલીફ ધરાવતાં હોઇ બિમારીને લીધે સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં ચોથા હતાં. હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્‍સ. એમ. પી. કરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(10:40 am IST)