Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

શ્રીનાથજી સોસાયટીમાં ભરતભાઇ મિયાત્રાએ ફાંસો ખાધોઃ સારવારમાં

 

રાજકોટ તા. ૨૮: મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી-૬માં રહેતાં ભરતભાઇ ચંદુભાઇ મિયાત્રા (ઉ.૩૮) નામના યુવાને રાતે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને જાણ થઇ જતાં જીવ બચાવી લઇ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

ભરતભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના છે તથા ગાડીમાં માલ ભરવા, ઉતારાવવાનું કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે ગળાફાંસો શા માટે ખાધો? તે અંગે પરિવારજનો અજાણ છે. ભરતભાઇ ભાનમાં આવ્‍યે પોલીસ નિવેદન નોંધશે.

દિપકભાઇએ બ્‍લેડથી પોતાને ઇજા પહોંચાડી

કાલાવડ રોડ આંબેડકરનગરમાં રહેતાં દિપકભાઇ ગજુભાઇ સાગઠીયા (ઉ.૩૮)એ પોતાની જાતે હાથમાં બ્‍લેડથી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

રેલનગરના નરેન્‍દ્રભાઇ ટર્પેન્‍ટાઇન પી ગયા

રેલનગરમાં રહેતાં નરેન્‍દ્રભાઇ મોહનભાઇ ધામેચા (ઉ.૫૮) નામના પ્રોૈઢે રાતે નવેક વાગ્‍યે માલિયાસણ પાસે ટર્પેન્‍ટાઇન પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:46 pm IST)