Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

શહેર ભાજપ દ્વારા કાલે મન કી બાત ની સાથે ટીફીન બેઠકના કાર્યક્રમો

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ તથા નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમાં જણાવ્‍યુ છે કે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા દર મહીનાના છેલ્લા રવિવારે મન કી બાત નો કાર્યક્રમ યોજવામાં આવે છે તે અંતર્ગત આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્‍યે મન કી બાતનો કાર્યક્રમ ટેલીકાસ્‍ટ કરવામાં આવશે.

આ સાથે ટીફીન બેઠક પણ યોજાશે. આ ‘મન કી બાત'નો કાર્યક્રમ શહેરના શકિત કેન્‍દ્રમાં આવતા બુથોમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ પેજ સમિતિના સભ્‍યોને સાંભળવા અનુરોધ કરેલ છે.(હરેશ જોષી)

(3:48 pm IST)