Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સોમવારે રકતદાન કેમ્‍પ - રાહતદરે ચોપડા વિતરણ

રાજકોટ :શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા.૩૦ ને સોમવારે શ્‍યામ મંદિર, રીંગરોડ બાયપાસ ચોકડી ખાતે સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી બ્‍લડ ડોનેશન કેમ્‍પ અને રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.રકતદાન કેમ્‍પમાં ફિલ્‍ડમાર્શલ સહયોગ મળેલ છે. જયારે  ૩૦૦રૂા.ના ૧૨ નંગ ચોપડા વિતરણ કરવામાં આવશે.
ટ્રસ્‍ટની અન્‍ય પ્રવૃતિઓ જેવીકે મેડીકલ સાધનોની નિઃશુલ્‍ક સેવા, વિદ્યાર્થી સન્‍માન, વિ. કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.
આયોજન ને સફળ બનાવવા પ્રમુખ નિલેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ, ખજાનચી રિતેશભાઇ ટાંક, મંત્રી કિશોરભાઇ ચોટલીયા, સહમંત્રી, સંદીપભાઇ મકવાણા તેમજ કારોબારી સભ્‍યો, મનોજભાઇ રાઠોડ, હિતેશભાઇ ભાલીયા, મયુરભાઇ  મારૂ, વિજયભાઇ રાઠોડ, રાકેશભાઇ પરમાર, કાંતીભાઇ , સંજયભાઇ બારડ, વિપુલભાઇ ટાંક , અમીતભાઇ કાચા વગેરે એ જહેમત ઉઠાવી રહ્યા છે

 

(4:20 pm IST)