Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

લક્ષ્મીનગર અંડરબ્રીજમાં નામકરણનું બોર્ડ લટકયુ !!!

રાજકોટ : શહેરમાં નવનિર્મિત લક્ષ્મીનગર અંડરબ્રીજને લોકાપર્ણ કર્યે હજુ ૩ મહિના જેટલો જ સમય થયો છે. દેશના પ્રથમ સીડીએસ શહીદ જનરલ બીપીન રાવત બ્રીજ નામકરણ કરવામાં આવ્‍યું છે, પણ ૩ મહિનાની અંદર જ બ્રીજમાં લગાડાયેલ નામકરણનું બોર્ડ લટકી જતા વાહન ચાલકોને પણ મુશ્‍કેલી પડી રહી છે. મનપા તંત્ર તુરંત બોર્ડને ફરી સલામત રીતે લગાડે તેવી માંગ ઉઠી છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(4:20 pm IST)