Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પૂ. મહાસતીજીઓના વિવિધ ઉપાશ્રયોમાં ચાતુર્માસ પ્રવેશ

ગોંડલ સ્થા. સંપ્રદાયના

ગોંડલ સંપ્રદાયના પ્રવૃર્તિની પૂ. વનિતાબાઇ મ.સા., પ્રખર વકતા પૂ. હંસાબાઇ મ.સ. આદિ તા. ૧ ના શુક્રવારે સવારે ૮ કલાકે ડો. રાજુ કોઠારીના નિવાસેથી વિરાણી પૌષધ શાળા ચાતુર્માસ પ્રવેશ, પૂ. સુશીલાજી મ.સા. ઠાણા-૪ વૈશાલીનગરથી ગીત ગુર્જરી, પૂ. સરોજબાઇ મ.સ. આદિ વૈશાલીનગરથી વિહાર કરીને ૭ કલાકે રામકૃષ્ણનગર ઉપાશ્રયે પ્રવેશ કરશે.

પૂ. નીલમબાઇ મ.સ.ા આદિ નો તા. ૩ ના જંકશન પ્લોટ ઉપાશ્રયે પૂ. હસુતાજી મ.સા. આદિ ઠાણાનો વૈશાલીનગરથી તા. ૪ ના વિમલનાથ ઉપાશ્રય ગોપાલ ચોક, પૂ. ઉષા-વીણાજી મ.સ.નો તા. ર૯ ના ભકિતનગર ઉપાશ્રય, પૂ. જશુબાઇ મ.સ.નો તા. ૭ ના સરિતા વિહાર ઉપાશ્રયે પ્રવેશ કરશે. પૂ. વિમળાજી મ.સ.નો તા. ૩૦ ના કામદાર ધર્માલયથી વિહાર કરીને રોયલ પાર્કમાં ઓમાનવાલા ઉપાશ્રયે ૭ થી ૭.૩૦ કલાકે સ્વાગત એવમ માંગલિક.

(3:19 pm IST)