Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

બેડીનાકા ખાતે માં આશાપૂરાના સ્થાનકે અષાઢી બીજ મહોત્સવ

રાજકોટ તા. ર૮ : બેડીનાકા અંદર હાટકેશ્વર ચોકના પટાંગણમાં બીરાજતા માં આશાપુરામાંના સ્થાનકે તા.૧ ના શુક્રવારે અષાઢી બીજ નિમિતે માતાજીનીે ધજા ચઢાવામાં આવશે. માતાજીની ધજા નાના દરબારગઢ વાળા નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ભયલુભા) ચઢાવશે. ત્યારબાદ માતાજીની ધામધુમથી આરતી પુજારી ગીરીરાજસિંહજી જે. જાડેજા (મીઠુભાબાપુગાદીપતિ) ઉતારશે સાંજે માતાજીના સ્થાનકને રોશનીથી શણગારવામાં આવશે સાંજે માતાજીની આરતી ઉતારવામાં આવશે.

આ પ્રસંગે મહેમાન તરીકે યુવરાજ સાહેબશ્રી જગદિપસિંહજી જાડેજા (રામરાજા) માલધારી સેલના રણજીતભાઇ મુંધવા, આશાપુરા ટ્રાવેલ્સ વારા પ્રતીપાલસિંહ જાડેજા ઉપસ્થિત રહેશેે. સાંજે આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

આ કાર્યને સફળ બનાવવા નરેન્દ્રસિંહ જે. જાડેજા, ચંદ્રદિપસિંહજી જાડેજા, મહાવીરસિંહ એન.જાડેજા, શીવરાજસિંહ એન.જાડેજા, ધર્મવિરસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જે. જાડેજા, જયદિપસિંહ ચુડાસમાં (ભાણુભા) પ્રિન્સ પરમાર (ભાણુભા) રીતેષ શાહ, વિજય કાલાણી, પંકજભાઇ દેસાઇ વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહેલ છ.ે

(3:25 pm IST)