Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જિલ્લા પંચાયત દ્વારા જસદણમાં કાલે બે તાલુકાઓનો લોકદરબાર

બાવળિયા-બોઘરાને સંયુકત આમંત્રણ

રાજકોટ,તા. ૨૭ : જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર,કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા,ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી,શાસક પક્ષ નેતા વિરલભાઈ પનારા,દંડક અલ્‍પાબેન મુકેશભાઈ તોગડિયા,દક્ષાબેન પરેશભાઈ રાદડિયાની યાદીમાં જણાવાયું છે કે ગ્રામ્‍ય પ્રજાના પ્રશ્નોના સ્‍થળ પર જ નિરાકરણ માટે રાજકોટ જીલ્લા પંચાયત ખાતે દર સોમવારે લોકદરબાર યોજાઈ રહ્યા છે.

આવતીકાલે તા. ૨૯ ના જસદણ પ્રાંત ઓફીસ ખાતે બપોરે ૩ કલાકે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરત બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયા, જીલ્લા પંચાયત ના પ્રમુખ ભૂપત બોદર, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવિતાબેન વસાણીની ઉપસ્‍થિતિમાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો પોતાના પ્રશ્નો સરળતાથી રજુ કરી શકે તે માટે લોકદરબાર યોજવામાં આવશે. આ લોકદરબાર માં જસદણ- વિછીયા વિસ્‍તારના ગ્રામજનો ના વિકાસ ના કામો સહીતના પ્રશ્નો સાંભળી તેનું સ્‍થળ ઉપર જ નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે

(3:49 pm IST)