Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સમાજને ધર્મમય - નિરોગી બનાવવામાં હરીપ્રસાદ સ્વામીનું અમુલ્ય યોગદાન

ભંડેરી, ભારદ્વાજ, મિરાણી દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ તા. ૨૮ : ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહાંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના ભાજપ અગ્રણીઓએ હરીપ્રસાદ સ્વામીજીના અક્ષરધામ ગમનથી ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે.

શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યુ છે કે સ્વામીજી સરળ સ્વભાવ સાથે પ્રભુ ભકિતની સંગાથે પોતાનું જીવન જીવતા હતા. સાથો સાથ સમાજ ધર્મમય બને તે માટે હંમેશા સતત જાગૃત હતા. તેમણે તંદુરસ્ત અને નિરોગી સમાજનું નિર્માણ થાય તે માટે તેઓ ચિંતન શીબીરોનું આયોજન કરી સમાજને માર્ગદર્શન આપતા. ભગવાન સ્વામિનારાયણ તેમના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. 

(2:46 pm IST)