Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વિપક્ષી નેતાનો કાલે પાંચમો વર્ચ્યુઅલ લોકદરબાર

છેલ્લા ૪ લોકદરબારમાં ૯૯ ફરીયાદો નોંધાઇ હતીઃ ભાનુબેન સોરાણી

રાજકોટ તા. ર૮ :.. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનો કાલે તા. ર૯ નાં ગુરૂવારે પાંચમો વર્ચ્યુઅલ લોકદરબાર યોજશે. લોકદરબારમાં ભાનુબેન સોરાણી  મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા જૂલાઇ માસના દર ગુરૂવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે જહેમત ઉઠાવી છે તેમજ અગાઉના ચાર લોક દરબારમાં રાજકોટ શહેરના નગરજનોએ અલગ અલગ પ્રકારની ફરીયાદો નોંધાવેલ છે તેમજ આજ સુધીમાં વિરોધ પક્ષના નેતાના વર્ચ્યુઅલ લોકદરબારમાં કુલ ૯૯ ફરીયાદો નોંધાઇ છે. તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)