Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

તાલુકા ગ્રાહક સુરક્ષા સમિતિની રચના કરાશેઃ નિર્ણય

રાજકોટઃ રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની તાજેતરમાં મળેલ કાર્યવાહક સમિતિની બેઠકમાં રાજકોટ જીલ્લામાં ગ્રાહક સુરક્ષાને મજબુતાઈ આપવા અને ગ્રાહક જાગૃતિનો વ્યાપ વધારવા દરેક તાલુકામાં તાલુકા ગ્રાહક સુરક્ષા સમિતિની રચના કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રમુખ સ્થાને મંડળનાં પ્રમુખ યશવંત જનાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકનું સંચાલન મંડળના મહામંત્રી રાજેશભાઈ ગોંડલીયાએ કર્યુ હતું. જયારે ચર્ચામાં મુખ્ય સંયોજક હિંમતભાઈ લાબડિયા, આર.વી.સોલંકી, શહેર શાખાનાં પ્રમુખ મહેશભાઈ મહેતા, પરેશભાઈ જનાણી, નટવરસિંહ ચૌહાણ, મુકેશભાઈ પારેખ, દિલીપભાઈ કલોલા, હિનાબેન કનેરીયા વગેરે ભાગ લીધો હતો. મંડળની સામાન્ય સભા ૮ મી ઓગષ્ટનાં રોજ રાજકોટ ખાતે બોલાવવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કોરોના કાળમાં ગુમાવેલા સ્વજનો તથા વરિષ્ઠ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજાને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. વધુ માહિતી માટે ફોન ૦૨૮૧- ૨૫૬૩૫૨૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)