Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોહરમ નિમિત્તે રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સુફીધ્યાન સંધ્યા

સરકારી ગાઇડલાઇન પ્રમાણે મંદિરે ઓશો ઇનર સર્કલ દ્વારા ધ્યાન

રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના સુત્ર ઉત્સવ આમારનીતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, ભજન-કીર્તન, ગીત -સંગીત, તથા વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૫ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃત્ત્િ।થી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તથા દ્વારા અવારનવાર ઉજવવામાં આવે છે.

 આગામી તા. ૩૦ ને રવિવારના રોજ મોહરમ નિમિત્ત્।ે હર સાલની માફક રાબેતા મુજબ સાંજે ૬: ૪૫ થી ૭ : ૪૫ દરમિયાન સુફી ધ્યાન-સંધ્યા ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ પરિસ્થિતિને અનુલક્ષીને ફકત ઓશો ઇનર સર્કલ દ્વારા ધ્યાનનો કાર્યક્રમ રાખેલ છે. બીજા મેમ્બરો ઘર પર રહીને ધ્યાન કરશે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વેદ વાળી રાજકોટ  વિશેષ માહિતીઃ સ્વામી સત્ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬ , સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:56 pm IST)