Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ભાજપ કાર્યાલયે ગણેશ મહોત્સવ : મહાઆરતીનો લાભ લેવા વોર્ડ નં. ૧૧-૧૨ ના આગેવાનો

રાજકોટ : કરણપરામાં ભાજપ કાર્યાલય ખાતે સિધ્ધી વિનાયકધામ ઉભુ કરી ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ભાવભેર ઉજવાઇ રહેલ આ ગણેશ મહોત્સવમાં છઠ્ઠા દિવસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, બીનાબેન મીરાણી, ડે. મેયર અશ્વિન મોલીયા, શાષક પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, કિશોરભાઇ રાઠોડ, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી તેમજ વોર્ડ નં. ૧૧ ના વોર્ડ પ્રમુખ સંજય પીપળીયા, પ્રવિણ પાઘડાર, વોર્ડ નં. ૧૨ ના પ્રભારી પ્રદીપ ડવ, મનસુખ વેકરીયા, દશરથસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, મિહીર મીરાણી, રોહન મીરાણી, રાજુ ઘેલાણી, રમેશ દોશી, વિજય મેર વગેરેએ મહાઆરતીનો લાભ લીધો હતો. દરમિયાન આજે તા. ૨૮ ના સાંજે વોર્ડ નં. ૧૩ અને વોર્ડ નં. ૧૪ ના કાર્યકર્તાઓ તથા આગેવાનો મહાઆરતીનો લાભ લેશે. સમગ્ર વ્યવસ્થા નિલેશ ખુંટ, નલહરી પંડીત, પ્રવિણભાઇ ડોડીયાએ સંભાળી રહ્યા છે. તેમ ગણપતિ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારીની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(2:59 pm IST)