Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

બેભાન હાલતમાં શ્રીરામ સોસાયટીના કનુભાઇ અને વેલનાથના નિરંજનનું મોત

રાજકોટ તા. ૨૮: જુના માર્કેટ યાર્ડ પાસે શ્રીરામ સોસાયટી-૧૧માં રહેતાં કનુભાઇ નાથાભાઇ ચોૈહાણ (આહિરા હજામ) (ઉ.વ.૫૦) રાતે બારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. અલ્પેશભાઇ વધેરાએ જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. ડી. એચ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતા.

બીજા બનાવમાં કોઠારીયા જડેશ્વર વેલનાથ પાર્કમાં રહેતો મુળ યુપીનો યુવાન નિરંજન કુમારભાઇ મોૈર્ય (ઉ.વ.૩૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક બફના કારખાનામાં કામ કરતો હતો. સંતાનમાં એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના વી. એસ. નિનામાએ જાણ કરતાં હેડકોન્સ. રસિકભાઇ ગઢાદરાએ કાર્યવાહી કરી હતી.

(10:39 am IST)