Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા કોવિડ-૧૯ ન્યાયયાત્રા યોજાઇ

કોરોનામાં જીવ ગુમાવનાર મૃતકોને કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી હતી : હાર્દિપ પરમાર

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ ના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સુચના મુજબ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા કોવિડ-૧૯ ન્યાયયાત્રાનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂતની અધ્યક્ષપદે યોજાયો હતો. આ ન્યાય યાત્રા અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન   હિમાલયરાજ રાજપૂતે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં રાજયના નાગરિકોને ન્યાય કોવીડ-૧૯ 'ન્યાયયાત્રા' તા.૧૬મી ઓગસ્ટ થી થઇ હતી. આ દરમિયાન ૪ ઝોનમાંથી  ૩૧,૮૫૦ કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરાઈને આપ્યા છે. તેવું યાદીના અંતમાં રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત, યુવક કોંગ્રેસ મહામંત્રી મૌલેશભાઈ મકવાણા હાર્દિપભાઈ પરમારે જણાવ્યું છે.

(2:38 pm IST)