Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભાજપ અને મલબાર ગ્રુપ દ્વારા વિધાનસભા-૭૧માં રાશન કિટ વિતરણ

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતગર્ત પ્રદેશ ની યોજના અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૭ ઓગષ્ટ દરમ્યાન 'સેવા અને સમર્પણ' અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ મોરચા તેમજ સેલ દ્વારા જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજી ના જન્મદિવસ ઉજવણી અંતર્ગત  શહેર ભાજપ અને મલબાર ગ્રુપ દ્વારા વિધાનસભા–૭૧માં સમાવિષ્ટ વોર્ડ નં.૧૧,૧ર અને ૧૮ ના જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદિપ ડવ, રાજુભાઈ બોરીચા, ભાનુબેન બાબરીયા, મલબાર ગ્રુપના વિજયભાઈ બુલચંદાણી, રક્ષાબેન બોળીયા, જીજ્ઞેશ જોષી, કિશન ટીલવા, કિરણબેન હરસોડા, લીલુબેન જાદવ, અસ્મીતાબેન દેલવાડીયા,  ભારતીબેન પરસાણા, મીતલબેન લાઠીયા, ભારતીબેન પાડલીયા, મગનભાઈ સોરઠીયા,દક્ષાબેન વાઘેલા, સંજયસિહ રાણા, વીનુભાઈ સોરઠીયા,  રાજુભાઈ માલધારી, ભરત શિંગાળા,  સંજય પીપળીયા, પ્રવીણ ઠુંમર, રસીકભાઈ કાવઠીયા, શૈલેષ બુસા સહીતના  ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ તેમજ સ્વાગત પ્રવચન વિજયભાઈ બુલચંદાણી અને પ્રાશંગિક ઉદબોધન કમલેશ મિરાણી, લાખાભાઈ સાગઠીયા અને ડો. પ્રદિપ ડવ એ કરેલ. અંતમાં આભારવિધિ રાજુભાઈ બોરીચાએ કરેલ.

(2:40 pm IST)