Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ખોડિયાર ગરબી મંડળ

રાજકોટ : શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ગોવર્ધન ચોક માધવ ગેટ, શ્રી માધેશ્વર મહાદેવ મંદિર નજીક શ્રી ખોડિયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૯ વર્ષથી આસો નવરાત્રીની ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૯૦ બાળાઓ ઢોલક, કેશીયો, મંજીરા દ્વારા ભુવા રાસ, મહિસાસુર રાસ, મોગલ રાસ, ગરબા રાસ સહિતના રાસની તાલિમ લે છે. ગરબી મંડળના યાદગાર આયોજન માટે સુનિલભાઇ ડાંગર, નિલેશભાઇ સિધ્ધપરા, કપીલભાઇ વાજા, રાજુભાઇ કુબાવત, વિભાભાઇ મુંધવા, ભગવાનજીભાઇ જેતપરીયા, આશિષભાઇ ડાંગર, લક્ષ્મણભાઇ મુંધવા સહિતના સેવાભાવી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(2:43 pm IST)