Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પરશુરામ શરાફી મંડળીની વાર્ષિક સભા સંપન્ન : નફો રૂ.૬૨,૪૬,૮૯૭ : ૧૫% ડીવીડન્ડ જાહેર

રાજકોટ : પરશુરામ શરાફી સહકારી મંડળીની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન કૌશિકભાઇ શુકલાના અધ્યક્ષસ્થાને સમસ્ત બ્રાહ્મણ બોર્ડીંગ રજપુતપરા ખાતે મળી હતી. દીપ પ્રાગટયવિધિ કૌશિકભાઇ શુકલ તેમજ બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઇ પંડયા, મધુભાઇ દવે તેમજ અન્ય બોર્ડ ઓફ ડીરેકટર્સના હસ્તે કરવામાં આવેલ. મંડળીનો નફો રૂ.૬૨,૪૬,૮૯૭ થયો હોવાની  અને ૧૫% ડીવીડન્ડ ચુકવવાની જાહેરાત કરાતા સૌએ તાળીઓથી વધાવી લીધેલ. સભાસદોને ભેટ વિતરણ નવેમ્બરથી કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન સરકારની અપીલને ધ્યાને લઇ રૂ.૧૧,૦૦,૦૦૦ તથા બીજી લહેર દરમિયાન ઓકસીજનની શોર્ટેઝને પહોંચી વળવા પ ઓકસીજન સીલીન્ડર બોલબાલા ટ્રસ્ટને આ મંડળી તરફથી આપવામાં આવેલ. કાર્યક્રમમાં સંસ્થાના ડીરેકટરો જોઇન્ટ માનદ એમ.ડી. સુધીરભાઇ જે. પંડયા, અનંતભાઇ ભટ્ટ, શ્રીમતી સુરભીબેન જે. આચાર્ય, શ્રીમતી મધુબેન પી. ત્રિવેદી, પરાગભાઇ પી. ભટ્ટ, લવજીભાઇ એલ. બારૈયા ઉપસ્થિત રહેલ. ડીપોઝીટરો મધુભાઇ દવે, બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઇ પંડયા, નોટરી જયેશભાઇ જાની, કર્મચારી ગણ તેમજ અન્ય સભાસદો ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન મેનેજીંગ ડીરેકટર દીપકભાઇ પંડયાએ સંભાળ્યુ હતુ. અંતમાં આભારવિધિ મંડળના વાઇસ ચેરમેન વિજયભાઇ વ્યાસે કરી હતી. 

(3:31 pm IST)