Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વાંકાનેરના ઠીકરીયાળાના મંજુબેન માલકીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૭: વાંકાનેર તાબેના ઠીકરીયાળા ગામે રહેતાં મંજુબેન દેવશીભાઇ માલકીયા (ઉ.૫૮) રાતે સાડા બારેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર મંજુબેનના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ આવી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)