Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે આયોજનઇન્‍દીરાબેન જસાણીની પુણ્‍યતિથિ નિમિતે કાલે રકતદાન કેમ્‍પ

રાજકોટઃ સ્‍વ. ઇન્‍દીરાબેન વસંતભાઇ જસાણીની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, દર્શન યુનિવર્સિટી તથા શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી તા.૨૮ બુધવારે, સવારે ૮થી ૧ વાગ્‍યા સુધી, દર્શન યુનિવર્સિટી, મોરબી રોડ ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં દર્શન યુનિવર્સિટીના ડો.રમણીકભાઇ ધમસાણીયા, વી.સી ડો. મનિષભાઇ સંઘાણી વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), જસાણી પરીવાર તથા સીવીલ બ્‍લડબેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્‌ સેવા આપશે

(4:30 pm IST)