Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અકસ્‍માતમાં ઘવાયેલા થાનના યુવાનનું મોત

૨૨મીએ પાલણપીરના મેળામાંથી પરત થાન જતી વખતે કારને ટ્રકે ટક્કર મારી હતી

રાજકોટ તા. ૨૭: થાન નજીક વાડાસળ ગામ નજીક ગત ૨૨મીએ ઇકો કારને ટ્રકની ટક્કર લાગતાં થાનના બે યુવાનને ઇજા થઇ હતી. તે પૈકી એક યુવાનનું આજે રાજકોટમાં મોત નિપજ્‍યું છે.

થાન આંબેડકરનગરમાં રહેતાં પાંચ યુવાન ગત ૨૨મીએ પાલણપીરના મેળામાં ઇકો કાર લઇને ગયા હતાં. ત્‍યાંથી પરત થાન આવતી વખતે રસ્‍તામાં કારને ટ્રકે ઠોકરે લેતાં કાળુ કેશાભાઇ ચાવડા (ઉ.૩૦) અને દશરથ ધનજીભાઇ ગોહેલ (ઉ.૧૭)ને ઇજા થઇ હતી. આ બંને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતાં. જેમાંથી કાળુ ચાવડાનું આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે છુટક મજૂરી કરતો હતો અને ત્રણ ભાઇ તથા એક બહેનમાં વચેટ હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થાન પોલીસને જાણ કરી હતી.

(5:00 pm IST)