Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગરબી સ્‍થળનો ખાડો તાકીદની અસરથી સમથળ કરાયો : મેયરનો આભાર વ્‍યકત

રાજકોટ : ગોકુલધામ સોસાયટી શેરી નં. ૬ ની પાછળ ગીતાંજલી સોસાયટી ખાતે છેલ્લા ૨૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. નાગદેવતાના મંદિર પાસે નાની નાની ૭-૮ વર્ષની બાળાઓ માતાજીની આરાધના કરે છે. પરંતુ આ વર્ષે ગરબીના સ્‍થળે મોટો ખાડો થઇ ગયો હોય ગરબીના સંચાલકો અને બાળાઓ નિરાશ થઇ ગયા હતા. આ ખાડો બુરાવી મરામત કરાવી આપવા મેયર ડો. પ્રદીપ ડવને વિનંતી કરાઇ હતી. જે સંદર્ભે મેયરશ્રીએ ત્‍વરીત પગલા ભરી રાતોરાતચેકર બ્‍લોક ફીટ કરાવી  બાળાઓને રમવાલાયક સમથળ ચોગાન કરાવી આપતા સોસાયટીના લોકો તેમજ ગરબીના સંચાલક કનુભાઇ રાવળદેવે રાજકોટના યુવા મેયર પ્રદિપભાઇ ડવનો マદયપૂર્વક આભાર વ્‍યકત કર્યો હતો.

(3:52 pm IST)