Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ખાદ્યતેલોમાં મંદીઃ કપાસીયા તેલમાં ૩૦ અને પામતેલમાં ૧૦ રૂા. ઘટયા

રાજકોટ, તા., ૨૮: ખાદ્યતેલોમાં મંદીનો દોર યથાવત રહયો છે. આજે કપાસીયા તેલમાં વધુ ૩૦ અને પામતેલમાં ૧૦ રૂા. ઘટયા છે.

કપાસનો પાક સારો થશે અને આવકો વધશે તેવા અહેવાલે આજે સ્‍થાનીક બજારમાં  કપાસીયા તેલમાં ૩૦ રૂા. તુટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૧૭૦ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ ૨૨૧૦ થી ૨૨૬૦ રૂા. હતા તે ઘટીને ૨૧૮૦ થી ૨૨૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. પામતેલમાં પણ ૧૦ રૂા. ઘટતા પામતેલ લુઝના ભાવ ૮૭૦ રૂા. હતા તે ઘટીને ૮૬૦ અને પામોલીન ટીનના ભાવ ૧૪૭૦ થી ૧૪૭૫ રૂા. હતા. તે ઘટીને ૧૪૬૦ થી ૧૪૬૫ રૂા. થયા હતા. જો કે બપોર સુધીમાં સીંગતેલના ભાવમાં કોઇ વધ-ઘટ ન હતી.

(3:29 pm IST)