Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જમીન દફતરના જિલ્લા નિરીક્ષક કક્ષાના ૧૪ અધિકારીઓની બદલી

બ્રિજેશ અઘેરાના સ્‍થાને રાજકોટમાં ગાંભવા જિલ્લા નિરીક્ષક : અમદાવાદના કુ. બી.બી.મોરી રાજકોટમાં સીટી સર્વે અધિક્ષકઃ રાજકોટના દવે અને મોરબીના ફોરમ કુબાવત જામનગરમાં

રાજકોટ તા. ૨૮ : સેટલેમેન્‍ટ કમિશનર કચેરી હસ્‍તકના જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-૨ના ૧૪ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે. રાજકોટના જિલ્લા નિરીક્ષક બ્રિજેશ અઘેરાને અમદાવાદ એ જ જગ્‍યા પર બદલી રાજકોટમાં તેની જગ્‍યાએ કલોલના બી.એમ.ગાંભવાને મુકવામાં આવ્‍યા છે. ભાવનગરના ભૌતેષ ચાવડાની અમદાવાદ સીટી સર્વેમાં અને ત્‍યાંના કુ. બી.બી.મોરીની રાજકોટ સીટી સર્વે સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ-૨ તરીકે બદલી થઇ છે. રાજકોટના સીટી સર્વે સુપ્રિ.-૨ને જામનગર એ જ જગ્‍યા પર અને મોરબીના કુ. ફોરમ કુબાવતને જામનગર સીટી સર્વે સુપ્રિ. તરીકે નિમણૂંક આપવામાં આવી છે. આ હુકમો મહેસુલ વિભાગના સંયુકત સચિવ એ.એચ.મનસુરીની સહીથી કરવામાં આવેલ છે.

(3:56 pm IST)