Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

શહેર પોલીસના વધુ ૪૮ કર્મચારીઓની બદલીઃ ડીસીબીના ૭ની બદલી, નવા ૭ને અપાઇ નિમણુંક

પ્ર.નગરના કૃષ્‍ણદેવસિંહની એસઓજીમાં નિમણુંકઃ ટ્રાફિક બ્રાંચના ૧૧ બદલાયા

રાજકોટ તા. ૨૮: શહેર પોલીસમાં ફરજ બજાવતાં વધુ ૪૮ કર્મચારીઓની આંતરિક બદલી પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ કરી છે. જેમની બદલી થઇ છે તેમાં ૧૪ કોન્‍સ્‍ટેબલ, ૨૧ હેડ કોન્‍સ્‍ટેબલ અને ૩૧ એએસઆઈનો સમાવેશ થાય છે. બદલીના લિસ્‍ટમાં ક્રાઇમ બ્રાંચના ૭ કર્મચારીઓનો સમાવેશ થયો છે. જ્‍યારે નવા ૭ કર્મચારીઓને ડીસીબીમાં મુકાયા છે તેમજ એસઓજીમાં પણ બે ઓર્ડર થયા છે.

ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં ૧૧ જેટલા કર્મચારીઓને ડિવીઝન અને હેડક્‍વાર્ટરમાં મુકવામાં આવ્‍યા છે. ડીસીબીના મહેન્‍દ્રસિંહ, અજયભાઇ, મુકેશભાઇ, જયદેવસિંહ, પુષ્‍પરાજસિંહ, રાહુલભાઇ, નિતેશભાઇની અનુક્રમે યુનિવર્સિટી, તાલુકા, એસઓજી, માલવીયાનગર, એરપોર્ટ, માલવીયા, બી-ડિવીઝન ખાતે બદલી થઇ છે. જ્‍યારે સાયબર ક્રાઇમમાંથી અશોકભાઇ ડાંગરને ડીસીબીમાં મુકાયા છે. એરપોર્ટના મયુર મેઘજીભાઇ, માલવીયાનગરના મહેશભાઇ, યુનિવર્સિટીના ગિરીરાજસિંહ સજ્જનસિંહ, માલવીયાનગરના હરપાલસિંહ દલપતસિંહનેડીસીબીમાં મુકાયા છે. પ્ર.નગરના કૃષ્‍ણદેવસિંહ સુખદેવસિંહ એટેચ  એસઓજી હતાં તેમની એસઓજીમાં નિમણુંક થઇ છે. યુનિવર્સિટીના પ્રદિપસિંહ જે એટેચ ડીસીબી હતાં તેમને આજીડેમ ખાતે એટેચ ડીસીબી બદલવામાં આવ્‍યા છે. આમ ૪૮ કર્મચારીઓની બદલી થઇ છે.

રાજ્‍યના ૯૯ હથીયારી પીએસઆઇની બદલી

જયારે રાજ્‍યના ૯૯ હથીયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીનો ઘાણવો પણ નીકળ્‍યો છે. જેમાં રાજકોટ શહેરના રાજેન્‍દ્રસિંહ આર. ઝાલા, અનિલકુમાર જી. ત્રિવેદી, નિકુંજ એચ. રાઠોડ, કૃષ્‍ણબહાદુર એન. સોની અને રાજકોટ ગ્રામ્‍યના વિજયકુમાર એન. વિજાપરાનો સમાવેશ થાય છે.

(4:11 pm IST)