Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગરૂડ ગરબી ચોકમાં રહેતાં નાનુભાઇ બામરોલીયાનું ચક્કર આવ્‍યા બાદ મોત

રાજકોટ તા. ૨૮: રામનાથપરા ગરૂડ ગરબી ચોક પાસે છાપરૂ વાળીને રહેતાં દેવીપૂજક નાનુભાઇ ભીમજીભાઇ બામરોલીયા (ઉ.૬૦)ને સાંજે ચારેક વાગ્‍યે ભીક્ષાવૃતિ કરીને છાપરા પાસે આવ્‍યા ત્‍યારે ઓચીંતા ચક્કર આવતાં બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:12 pm IST)