Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર માટે શુક્રવારે રાસોત્સવ

રાજકોટ : શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળના નેજા હેઠળ યુવા સંગઠન અને મહિલા પરિષદ દ્વારા ૩૦ (પાંચમુ નોરતુ) ને શુક્રવાર સાંજે ૭ થી ૧૦ જ્ઞાતિની વાડી નવી બોર્ડિંગ ('બાજ નારણજી ભવન', 'હરિ કિર્તિ હોલ)' ખાતે જ્ઞાતિના યુવક - યુવકતીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે તમામ જ્ઞાતિબંધુઓએ ટ્રેડીશનલ ડ્રેસમાં હાજર રહેવાનું ફરજીયાત છે.તેમજ અલ્પહારના દાતાઓ નયનાબેન દીલીપભાઇ દવે પરિવાર (જોષીપુરા-જુનાગઢ) તથા હસમુખભાઇ મુળશંકરભાઇ મહેતા પરિવાર (બરવાળા બાવીસી) તરફથી રાખેલ છે તો સર્વે જ્ઞાતિબંધુઓએ, યુવાન મિત્રોને દાંડીયા રાસ રમવા અનુરોધ કરવામાં કરાયો છ.ે

(4:30 pm IST)