Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ

બજરંગ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ગરેકડીયા કુવા રોડ, પંચમુખી હનુમાનજીની દેરી પાસે દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ચકલીના માળા, પાણીના કુંડા અને ફીડરનું વિનામુલ્‍યે વિતરણ  કરવામાં આવે છે. જે અંતર્ગત ગયા રવિવારે પણ આવો કાર્યક્રમ થયો હતો. જેમાં વનવિભાગના સહયોગથી વિવિધ છોડના રોપાનું કુંડા સાથે વિતરણ કરાયુ હતુ. આ વિતરણ કાર્યનો પ્રારંભ આર.સી.સી. બેન્‍કના સી.ઇ.ઓ. પરસોતમભાઇ પીપળીયા અને અકિલાના પત્રકાર જગદીશભાઇ ગણાત્રાના હસ્‍તે કરાયો હતો. આ તકે બજરંગ ગ્રુપના કિશોરભાઇ કારીયા, હસુભાઇ ગણાત્રા, મનુભાઇ ખંધેડીયા, બટુકભાઇ રાચ્‍છ, હર્ષદભાઇ જાડેજા, પંકજભાઇ કારીયા, ભગીરથસિંહ જાડેજા, જયદીપ કોટેચા, સુનીલભાઇ મજેઠીયા, દિલીપભાઇ ભટ્ટ, નિલેશભાઇ કારીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:45 pm IST)