Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નશાની હાલતમાં બીડી પીતી વખતે તિખારાથી પથારી સળગતાં દાઝેલા મનોજ બારૈયાનું મોત

ગુરૃજીનગર કવાર્ટરનો યુવાન છ દિવસથી સારવારમાં હતો

રાજકોટ તા. ૨૮: સાધુ વાસવાણી રોડ પર ગુરૃજીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં મનોજભાઇ હનુભાઇ બારૈયા (ઉ.વ.૩૫) નશાની હાલતમાં બીડી પીતાં પીતાં સુઇ જતાં બીડીના તિખારાથી પથારી સળગતાં દાઝી જતાં સારવાર હેઠળ હતાં. તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મનોજભાઇ ગત ૨૨મીએ બીડીથી પથારી સળગતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રાતે તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનોજભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. છુટક મજૂરી કરતાં હતાં. સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:55 pm IST)