Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

અમદાવાદથી રાજકોટ ખાતે લગ્નપ્રસંગમાં આવેલા જ્યોતિષાચાર્ય તુષારભાઇ ઓઝાનું હોટેલમાં મૃત્યુ

જે પરિવારની દિકરીના લગ્ન હતાં તેમના આમંત્રણને કારણે હાજરી આપવા આવ્યા'તાઃ એરપોર્ટ રોડ પરની હોટલના રૃમમાં હાર્ટએટેક આવી ગયાની શકયતા

રાજકોટ તા. ૨૮: અમદાવાદ રહેતાં જ્યોતિષાચાર્ય રાજકોટ લગ્ન પ્રસંગમાં આવ્યા હોઇ હોઇ એરપોર્ટ ફાટકથી હનુમાન મઢી તરફ જતાં રોડ પરની હોટેલમાં ઉતર્યા હોઇ અહિ તેમને હાર્ટએટેક આવી જતાં મૃત્યુ નિપજતાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ અમદાવાદ રહેતાં મુળ દમણના તુષારભાઇ પુષ્કરરાય ઓઝા (ઉ.વ.૬૮) રવિવારે સાંજે એરપોર્ટ ફાટક રોડ પર આવેલી પેટ્રિયાસ્યુટ નામની હોટેલમાં રૃમ નં. એ-૨૦૪માં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયા અને ધર્મેન્દ્ર હુદડે જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ જગેન્દ્રસિંહ જાડેજાએ જરૃરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જ્યોતિષાચાર્ય તરીકે ઓળખાતા તુષારભાઇ ઓઝાએ રાજકોટના એક પરિવારના સંતાનની કુંડળી જોઇ આપી હોઇ અને એ પછી લગ્ન નક્કી થયા હોઇ આ પ્રસંગમાં હાજરી આપવા તેઓ આમંત્રણને માન આપીને આવ્યા હતાં. અહિ ગઇકાલે બપોર બાદ જમ્યા પછી પોતાને ફાળવાયેલા રૃમમાં ગયા હતાં અને ત્યાં બેભાન થઇ ગયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. મૃત્યુ પામનાર તુષારભાઇ ઓઝા વર્ષોથી એકલા રહેતાં હતાં. તેમના એક સગા મુંબઇ હોઇ તેમને જાણ કરવામાં આવી હોવાનું પોલીસે કહ્યું હતું.

(3:56 pm IST)