Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ધાબળા વિતરણ

નંદગોપાલ ભારતગેસ એજન્‍સી તરફથી ભારતગેસ પરીવારમાં સામેલ થનાર તમામ નવા ગ્રાહકોને ‘તદ્દન ફ્રી' ધાબળો આપવામાં આવેલ. ઉપરોકત દરેક નવા કનેક્‍શન સાથેની ધાબળાની સ્‍કીમ ભારતગેસના ટેરીટરી મેનેજરશ્રી અર્પિત બંસલ, તથા સેલ્‍સ ઓફિસરશ્રી વિજય મીનાના હસ્‍તે નંદગોપાલ ભારતગેસ એજન્‍સીના પ્રોપાઇટર અશ્વિનભાઇ વિઠ્ઠલાણીની હાજરીમાં લોન્‍ચ કરવામાં આવી. અશ્વિનભાઇ દ્વારા પિતાશ્રી સ્‍વાતંત્ર્ય સેનાની ગો.વા. શ્રી મનુભાઇ વિઠ્ઠલાણીની સ્‍મૃતિમાં દર વરસે વિતરણ ચાલુ રાખવામાં આવશે. યોજનાનો લાભ લેવા ઓફિસ સમય દરમ્‍યાન ૧૦ રણછોડ નગર, ૧૫ સ્‍કુલ સામે કુવાડવા રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

(3:57 pm IST)