Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપને જંગી બહુમતિથી જીતાડી ગુજરાતની પ્રજા દેશને દિશા બતાવે

વિજયભાઇ રૃપાણી વોર્ડ નં.૩માં ડો. દર્શિતાબેન શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટનઃ કમળનેજિતાડવા કમલેશ મિરાણીના નેતૃત્વમાં જોમ જુસ્સાભેર પ્રચાર : રાજકોટઃ વિધાનસભા -૬૯ ના ભાજપના ઉમેદવાર ડો .દર્શિતાબેન શાહના વોર્ડ નં.૩ ના કાર્યાલયનું ઉદ્દઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્દબોધન કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્દબોધન કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ જણાવ્યું કે જનસંઘના સમયથી આપણા કાર્યકર્તા દેશહિત માટે કામ કરતો આવ્યો છે. રાજકોટનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્યો છે. આજે સમયની માંગ છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને મહાસતા અને વિશ્વગુરૃ બનાવવા જઇ રહ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું પુનઃ જાગરણ થયેલ છે. આખા દેશની ગુજરાતની ચુંટણી પર નજર છે ત્યારે ગુજરાતની ચૂંટણીમાં પ્રજાજનો ભાજપને ઐતિહાસિક બહુમતી આપીને દેશને ભાજપની વિકાસ નિતીનો સંદેશ આપશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું કે ભાજપનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્યો છે ભાજપનું રાજકોટનું સંગઠન રાજયમાં અગ્રેસર છે રાજકોટની ચારેય બેઠકોમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી ચુંટાય એ માટે કાર્યકરો દિવસ-રાત જોયા વિના તનતોડ પ્રયાસો કરે છે. ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું કે આ ગુજરાત મેં બનાવ્યું છે કમળ ગુજરાતના ઘર-ઘર સુધી પહોંચશે અને પ્રજાજનો ખોબલે ખોબલે મત આપીને ભાજપની પુનઃ સરકાર બનશે. તેમણે વિકાસને અગ્રતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે જાગૃત પ્રહરી બની રહેશે. આ પ્રસંગે વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારિયા વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રીઓ રાજુ દરિયાનાણી, હિતેશ રાવલ, અંજલીબેન, રૃપાણી, શહેર ભાજપ મંત્રી અરૃણાબેન આડેસરા, ઇલાબેન, અગ્રણી મુરલીભાઇ દવે, ભાવનભાઇ રામદાર, સંગઠનના હોદેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રહેવાસી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:31 pm IST)