Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

નાણાની ઉઘરાણી મામલે થયેલ હુમલા અને એટ્રોસીટી સહીતની કલમો હેઠળ દાખલ થયેલ ફરીયાદની તટસ્‍થ તપાસ કરો

રાજકોટઃ રૈયાધારમાં રહેતા હિરાભાઇ રાહાભાઇ સાંગડીયા અને કાનાભાઇ રાહાભાઇ સાંગડીયા ઉપર નાણાની ઉઘરાણી બાબતે રૈયાધારના રાજુ બાવાજી, દુકડા અને સુનીલે છરી સાથે કરેલા જીવલેણ હુમલા અને આ ઘટના બાદ થયેલી એટ્રોસીટીની કલમ સહિતની ફરીયાદની તટસ્‍થ તપાસ કરવા આજે ભરવાડ સમાજે પોલીસ કમિશ્નર કચેરીએ રજુઆત કરી હતી. રઘુભાઇ કરણાભાઇ સાંગડીયાએ લેખીતમાં રજુઆતમાં જણાવ્‍યું છે કે,  મારા કાકાના દિકરા હિરાભાઇ અને કાનાભાઇ હાલ જેલમાં છે. રાજુ બાવાજી, દકુડો અને સુનીલ હિસ્‍ટ્રીશીટર અને ગુન્‍હાહીત પ્રવૃતીઓમાં રત રહે છે અને કાયદાનો  દુરઉપયોગ કરી લતાવાસીઓને ખોટી રીતે હેરાન કરે છે. આ ફરીયાદની તટસ્‍થ તપાસ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(2:53 pm IST)