Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ડો. ભાલેકરના માર્ગદર્શન હેઠળ ‘‘લાઇફ'' દ્વારા યોગનો વર્કશોપ

રાજકોટ તા. ર૯: લાઇફ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, પ્રોજેકટ ‘લાઇફ', રાજકોટ અને કૈવલ્‍યધામ-લોનાવલાના ઉપક્રમે ડો. શરદચંદ્ર ભાલેકરના માર્ગદર્શન હેઠળ ‘યોગ અને સ્‍વાસ્‍થ્‍ય' વિશે વર્કશોપ ૪ જુલાઇથી ૯ જુલાઇ સુધી સવારે ૬.૩૦ થી ૮.૦૦ અને સાંજે પ થી ૬.૩૦ સુધી લાઇફ બિલ્‍ડીંગ, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ સાથે ડો. ભાલેકર દ્વારા ૯.૩૦ થી ૧૧.૩૦ સુધી વ્‍યકિતગત માર્ગદર્શન પણ આપવામાં આવશે. ડો. ભાલેકર કૈવલ્‍યધામ યોગ કોલેજના પ્રિન્‍સીપાલ છે અને તેઓ સાઇન્‍ટીફિક યોજના અનુભવી છે. કાર્યક્રમના ભાગરૂપે ડો. ભાલેકર દ્વારા ૩ જુલાઇ સાંજે પ થી ૬.૩૦ સુધી લાઇફ બિલ્‍ડીંગમાં ‘યોગ અને સ્‍વાસ્‍થ્‍ય' ઉપર માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. રજીસ્‍ટ્રેશન અને વધારે માહિતી માટે મો. નં. ૮પ૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:09 pm IST)