Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રથયાત્રા અને ઈદ નિમીતે પ્ર નગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક

રાજકોટઃ રથયાત્રા અને ઈદ ઉલ અઝા હિન્દુ- મુસ્લીમ સમાજના તહેવારો આવતા હોઈ પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને હિન્દુ- મુસ્લીમ બિરાદરોની શાંતિ સમિતિની બેઠક મળેલ હતી.

જેમાં એસીપી પીે.કે.દિયોરા, પ્ર.નગર પી.આઈ. વી.જે. ફર્નાન્ડીઝ, ગાંધીનગર પી.આઈ. જી. એમ. હડિયા, પી.એસ.આઈ શ્રીપટેલ તથા હિતુભા પરમાર તેમજ હિન્દુ- મુસ્લીમ સમાજના કૃષ્ણદતભાઈ રાવલ, દેવેન્દ્રસિંહ રાણા, સંજયભાઈ લાખાણી, દિલીપભાઈ આસવાણી, દાનાભાઈ કુંગસીયા, નાગજીભાઈ  પટેલ, ગોપાલભાઈ બોરાણા, ગૌતમભાઈ ચૌહાણ, લાખાભાઈ ઉંધાટ, હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯), રજાકભાઈ જામનગરી, લોઈડભાઈ દલવાણી, યુસુફભાઈ મકરાણી, હુસેનભાઈ હાલેપૌત્રા વગેરે ઉપસ્થિત રહી દર વર્ષની જેમ રાજકોટની આન- બાન- શાન જળવાઈ રહે એ મુજબ કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે હિન્દુ- મુસ્લીમ સમાજના તહેવારો ઉજવાય તે માટે બન્ને સમાજના અગ્રણીઓએ એકતામાં સૂર પુરાવેલ હતાો.

આ તકે હજજે બયતુલ્લાહ જતા સદર જુમ્મા મસ્જીદના પેશઈમામ હાફીઝ હાજી અકરમબાપુનું ફુલહારથી સન્માન કરવામાં આવેલ.

(4:39 pm IST)