Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કાલે દેશના વિખ્યાત આલીમ સૈયદ અમીનુલ કાદરી સાહેબ સદરમાં જુમ્માની નમાઝ અદા કરાવશે

સાથોસાથ દેશમાં અમન-શાંતિ- ભાઈચારો કાયમ રહે તથા કોરોના નાશ પામે તે માટે દુઆ- એ- ખૈર કરશે

રાજકોટઃ સદર જુમ્મા મસ્જિદના પેશ ઈમામ હાજી હાફીઝ અકરમબાપુની યાદીમાં જણાવ્યા મુજબ દેશના સુપ્રસિધ્ધ આલીમ કારી અને પ્રખર વિદ્વાન તકરીરકર્તા હઝરતે અલ્લામા મૌલાના સૈયદ અમીનુલ કાદરી (માલેગાંવવાળા) આજથી સૌરાષ્ટ્રના ઉપલેટા, ગોંડલ, નવા બંદરના પ્રવાસે આવ્યા છે. આવતીકાલે તા.૩૦ જુલાઈ ૨૦૨૧ શુક્રવારના રોજ સદર જુમ્મા મસ્જિદમાં તમામ નમાજી ભાઈઓની હાજરીમાં જુમ્માની નમાઝ તકરીર અને દુઆ કરાવશે. સાથોસાથ આપણા મહાન ભારત દેશમાં  અમન- શાંતિ- ભાઈચારો કાયમ રહે અને આપણો દેશ વિશ્વગુરૂ બને, તે ઉપરાંત ઘાતક કોરોના સંપૂર્ણ નાશ પામે તે માટે દુઆ- એ- ખૈર કરશે. તેમ સદર જુમ્મા મસ્જિદના પેશ ઈમામ હાજી હાફીઝ અકરમબાપુ, ટ્રસ્ટીઓ પ્રમુખ રફીકભાઈ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯), મંત્રી સાજીદભાઈ ખોખર અને ટ્રસ્ટી ઈરફાનભાઈ ઠેબા યાદીમાં જણાવે છે.

(1:06 pm IST)