Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શહેરમાં બપોર સુધીમાં સતત '૦' કેસ

કુલ આંક ૪૨,૭૯૦એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૪૨,૩૧૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : રિકવરી રેટ ૯૮.૮૯ ટકા થયો

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા એક સપ્તાહથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૯૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૧૭  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૪૩૫  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૨,૫૯,૯૨૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૯૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૯ ટકા એ પહોંચ્યો છે. 

(3:51 pm IST)