Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભુમાફીયાઓ સામે કડક કાયદાનું પગલુ આવરદાયી : વિજય કોરાટ

રાજકોટ તા. ૨૯ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા ખેડુતોની લાગણીને સમજી તેમની સાથે છેતરપીંડી કરી જમીન હડફી લેનારાઓ સામે લાગુ કરાયેલ લેન્ડ ગ્રેબીંગનો કાયદો આવકારદાયી હોવાનું રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટે જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે જમીન માફીયાઓ જે રીતે ધાક ધમકી આપી છેતરપીંડી કરી ખેડુતોની જમીન પર કબજો જમાવી લેતા હતા તે બધુ હવે બંધ થશે. ઉપરાંત ખેડુતો પર વધારાની વીજળીના વપરાશ ઉપરનો દંડ પણ રદ કરવાની ચાલી રહેલ વિચારણાની અમલવારી ઝડપથી કરવામાં આવે તેવી લાગણી વિજય કોરાટ (મો.૯૮૯૮૭ ૯૦૦૫૦) એ વ્યકત કરી છે.

(2:35 pm IST)