Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજસમઢીયાળામાં વડોદરાના ચિરાગનો ફાંસો ખાઇ આપઘાત

ફેકટરીમા નોકરી કરતો હતોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૯: મુળ વડોદરાના મકરપુરાનો વતની અને કેટલાક સમયથી ત્રંબા નજીક રાજસમઢીયાળામાં કંપનીના રૂમમાં રહી ઇલેક્‍ટ્રો સ્‍વીચ ગીયરમાં નોકરી કરતાંચિરાગ શાંતિલાલ પાટણવાયા (ઠાકોર) (ઉ.વ.૨૩) નામના યુવાને ગત રાતે રૂમમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. દૂધ દેવા આવેલા ભાઇએ રૂમમાં મજૂરને લટકતો જોતાં કંપનીમાં જાણ કરી હતી. ૧૦૮ના તબિબ અરવિંદભાઇએ તેને મૃત જાહેર કરતાં આજીડેમના એએસઆઇ એમ. બી. જાડેજા તથા ભોજભાઇ મોભે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ચિરાગ બે ભાઇમાં નાનો અને કુંવારો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:35 am IST)