Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દેશ દેવીમાં આશાપુરા માતાના મઢ કચ્‍છ ખાતે રવિવારે રાજા બાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી અધ્‍યક્ષ સ્‍થાને ભવ્‍ય હોમાદિક ક્રિયા

સોમવારે કચ્‍છ રાજવી પરિવાર માં આશાપુરાને સવારે જાતર (પતરી) ચડાવશે

ભારતીય સંસ્‍કળતિમાં શકિત ઉપાસનાનુ સ્‍થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિતપીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્‍ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનુ ૧૯મી સદીનુ ભવ્‍ય તીર્થધામ છે. સૌરાષ્‍ટ્ર-ગુજરાત, મહારાષ્‍ટ્રમાંથી ભાવિકો પગપાળા,સાઇકલ દ્વારા વિશાળ સંખ્‍યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્‍ધા અને વિશ્વાસ સાથે ચરણ સ્‍પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્‍ય મંદિર ૫૮ ફુટ લાંબુ અને ૩૨ ફુટ પહોળુ છે. માં આશાપુરા વિશાળ કદની ૬ ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્‍વ છે. લાખોની સંખ્‍યામા માંની માનેલ માનતા અને શ્રધ્‍ધા આસ્‍થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. 

આસો સુદ-૭ રવિવાર, તા.૨-૧૦ના રાત્રીના ૯:૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષસ્‍થાને ગોર મહારાજશ્રી દેવકળષ્‍ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્‍લોક, સંક્રાતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્‍યરાત્રિએ રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી રાત્રીના ૧૨:૩૦ કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. તા.૩-૧૦ સોમવાર આસો સુદ આઠમના કચ્‍છ રાજવી પરિવારના કચ્‍છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર(પતરી) ચડાવશે. કચ્‍છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્‍યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્‍લીમ  પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે.

 માં આશાપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ચૌહાણ તથા મનુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકર - પાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચર કુંડ પાસે માં ચાચરા ભવાની માતાજીનું મંદિર આવેલ છે. માં આશાપુરા મંદિર પાસે માં હિંગળાજ માંનુ ભવ્‍ય મંદિર આવેલ છે. ત્‍યા પ્રકાશભાઈ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે. તથા સ્‍થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે. આરતીનો સમય સવારના પ કલાકે મંગળા આરતી. સવારે ૯ કલાકે ધૂપ આરતી, તેમજ સુર્યાસ્‍ત સમય મુજબ સંધ્‍યા આરતી થાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્‍ટ સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી સૌ દેશવાસીઓની મનોકામના માં આશાપુરા પૂર્ણ કરે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરશે. કચ્‍છ રાજવી પરિવારના સભ્‍યો- ભાયતો આ વિધિ તા.૩/૧૦ સોમવારે સવારે કચ્‍છ રાજવી પરિવારના ભાયતો માઈભકતોની ઉપસ્‍થિતીમાં યોજાશે. માં આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે.

વિનોદભાઈ આર.પોપટ,

 મો.૯૯૭૯૯ ૦૭૨૧૮, રાજકોટ

(11:54 am IST)