Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગોંડલ વરીયાવંશ પ્રજાપતિ જ્ઞાતિનો સરસ્‍વતી સન્‍માનઃ જયોતિરાદિત્‍યસિંહ જાડેજાની ઉપસ્‍થિતિ

રાજકોટઃ ગોંડલ વરીયાવંશ પ્રજાપતિ જ્ઞાતિનો સરસ્‍વતી સન્‍માન કાર્યક્રમ યોજાયેલ આ પ્રસંગે ગોંડલના ધારાસભ્‍ય શ્રીગીતાબા જાડેજા પુત્ર જયોતિરાદિત્‍યસિંહ જાડેજા (ગણેશભાઇ)એ વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરીને પ્રોત્‍સાહન કરેલ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને રમેશભાઇ રાખશીયા (પરફેકટ રિસોર્ટવાળા) શ્રી બી.પી.લાઠીયા(આર.એફ.ઓ.) શ્રીમતી શારદાબેન લાઠીયા, મંત્રી અ.બા.કુણકાર, સંઘ દિલ્‍હી તેમજ રાજકોટ, જુનાગઢ, બગસરા, ઘાટી, જેતપુર, જ્ઞાતિના પ્રમુખશ્રીઓએ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્‍સાહીત કરેલ. આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ મનોજભાઇ મારડીયા, મંત્રી વિનયભાઇ મારડીયા, ખજાનચી રમેશભાઇ મોરીધયા, તથા દરેક કારોબારી સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

(11:54 am IST)