Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દશેરાએ વિકલાંગો માટે રાસ મહોત્‍સવ

શ્રેષ્‍ઠ ખેલૈયાઓને ઈનામઃ પાસ વિતરણ

રાજકોટઃ વિકલાંગ કલ્‍યાણકારી ટ્રસ્‍ટ દ્વારા રાજકોટમાં છેલ્લા છ વર્ષથી દિવ્‍યાંગજનો માટે રાજય કક્ષાના દિવ્‍યાંગ રાસમહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને તા.૫/૧૦ને બુધવાર દશેરાના દિવસે ૧૫૦ ફૂટ રિંગ  રોડ-૨, કટારીયા શો-રૂમથી મુંજકા તરફ કાઠિયાવાડી.કોમ રેસ્‍ટોરેંટની બાજુમાં રાજકોટ ખાતે સાંજે ૫ થી ૧૦ દિવ્‍યાંગજનો માટે ભવ્‍ય રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં દરેક શ્રેણીના શ્રેષ્‍ઠ ખેલૈયાઓને ઈનામ પણ આપવામાં આવશે. કાર્યક્રમના માર્ગદર્શક પ્રમુખ રાજુભાઈ કાકડિયા પુરૂં પાડી રહ્યા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્‍ટી દિનેશભાઈ વોરા, કિશોરભાઈ સોરઠીયા, પુનમબેન કોરાટ, અશ્વિનભાઈ ચૌહાણ, જીતેન્‍દ્રભાઈ ચૌધરી, રોનકભાઈ ચોવટીયા, કમલેશભાઈ ટોપીયા, દિલીપભાઈ નાગલા, સંજયભાઈ કામાણી તથા દશરથભાઈ ગાંધી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી તેમજ પાસ માટે કમલેશભાઈ ટોપીયા મો.૯૦૩૩૩ ૨૩૧૫૪નો સંપર્ક કરવો.

(4:05 pm IST)