Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સ્‍વ. એડવોકેટ શામજીભાઇ ચાવડાને બારના પ્રમુખ સહિતના વકીલોની શ્રધ્‍ધાંજલી

રાજકોટ તા. ર૯: રાજકોટના નામાકીત અને ખ્‍યાતનામ એડવોકેટ સ્‍વ. શ્રી શામજીભાઇ આનંદભાઇ ચાવડાનું અચાનક તા. ર૬-૯-રર ના રોજ દુઃખદ અવસાન થયેલ તેમાં તેઓના સદગત આત્‍માને રાજકોટના બાર એસોસીયેશનના પ્રમુખ શ્રી અર્જુનભાઇ પટેલ ઉપપ્રમુખ એસ. કે. જાડેજા સેક્રેટરી પી. સી. વ્‍યાસ ત્‍થા એસોસીએશનના સીનીયર ત્‍થા જુનીયર એડવોકેટ બહોળા સમુદાયમાં રેફરન્‍સમાં હાજર રહેલ હાજર રહેલ જશુભાઇ કરથીયા, પિયુષભાઇ શાહ, મીહીરભાઇ દવે નોટરી, ભરતભાઇ હીરાણી, વી. ડી. રાઠોડ, ડી. ડી. પરમાર, ડી. બી. બગડા, ચેતનાબેન કાછડીયા, મીતલબેન સોલંકી, સંકુતલાબેન, અલ્‍કાબેન પંડયા, ડી. સી. રાવલ, એલ. જે. રાઠોડ, રાજેશભાઇ કોટક, અશ્‍વીન મહાલીયા, પ્રવીણ વી. સોલંકી, ક્રીમીનલ બાર એમ.એ.સી.ટી. બાર મહિલા બાર એસો.ના તમામ સભ્‍યોએ બે મીનીટનું મૌન રાખી શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ હતી.

(4:48 pm IST)