Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

માનવભવને સફળ બનાવવા ક્રીએટીવ, પોઝીટીવ અને સેન્સેટીવ બનોઃ ધીરગુરૂદેવ

જશાપરમાં પોપટ બાપાની પ્રતિમા અનાવરણઃ હર્ષોલ્લાસ

રાજકોટ તા.૨૯: શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે માલિનીબેન કિશોરભાઇ સંઘવી–સેવાસંકુલના પટાંગણે પૂ.શ્રી ધીરગુરૂદેવના સાંનિધ્યે જશાપરના સરપંચ અને જૈનમુનિ શા.પોપટલાલ ઝીણાભાઇ મણિયારના જીવનકવન અને નિઃસ્વાર્થ સેવાને બિરદાવી પોપટબાપાની પ્રતિમાની અનાવરણ વિધિ અમેરિકાના મહેશ વાઘર, મનહરભાઇ મણિયાર, કિશોરભાઇ મણિયાર વગેરેના હસ્તે કરવામાં આવેલં

સમારોહ મધ્યે પૂ.ગુરૂદેવે ધર્મસભામાં જણાવેલ કે જીવનને સફળ બનાવવા ક્રીએટીવ, પોઝીટીવ અને સેન્સેટીવ બનો. પોતાના ઉપયોગમાં આવે તે પૈસો અને સત્કાર્યમાં વપરાય તે લક્ષ્મી છે.

આ પ્રસંગે કે.ડી.કરમુર, આદિત્ય સમીર શેઠ, રાજેશ વિરાણી, દિનેશ મણિયાર, પંકજ અને વિભા મણિયાર, ઇન્દુબેન ઠુમ્મર, નમ્રતા માટલીયા વગેરેએ હાજરી આપેલ સુત્ર સંચાલન જશવંત મણિયારે કરેલ(

(3:45 pm IST)