Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સ્‍વ.રમેશચંદ્ર અગ્રવાલજીના ૭૮માં જન્‍મદિને નિમિતે કાલે રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે

રાજકોટઃ સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, સ્‍વ.શ્રી રમેશચંદ્ર અગ્રવાલજીના ૭૮માં જન્‍મદિવસ નિમિતે, રમેશ એન્‍ડ શારદા ફાઉન્‍ડેશન અને શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી તા.૩૦ બુધવાર, સવારે ૧૦થી ૨ વાગ્‍યા સુધી, દિવ્‍યભાસ્‍કર પ્રેસ, જાસલ કોમ્‍પલેક્ષ, પાંચમાં માળે, સ્‍ટર્લિગ હોસ્‍પિટલની સામે, નાણાવટીચોક ખાતે મહારકતદાન કેમ્‍પું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં દિવ્‍યાભાસ્‍કર પ્રેસ પરીવાર, રમેશ એન્‍ડ શારદા ફાઉન્‍ડેશન, શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના શ્રીવિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), શ્રી દિપ કોટેચા તથા રાજકોટ સિવિલ હોસ્‍પિટલના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે.

(4:05 pm IST)