Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ભાજપે સભા સ્થળની બહાર પણ ઝંડા લગાવી દીધાઃ કોંગ્રેસે ફરિયાદ કરતા તાત્કાલીક ઉતારી લેવાયા

રાજકોટઃ અહિંના રેસકોર્ષના મેદાનમાં ગઈકાલે વડાપ્રધાન મોદીની જાહેરસભાના સ્થળની બહાર એટલે કે રીંગરોડ ઉપર પણ  ભાજપના ઝંડા લગાવી દેવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસના આગેવાનો કૃષ્ણદત રાવલ અને  સંજય લાખાણી દ્વારા આચારસંહિતના ઉલ્લંઘન વિષે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવતા તાત્કાલીક ધોરણે ભાજપના ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા. ઉપરોકત પ્રથમ તસ્વીરમાં રીંગરોડની પારીએ ઙ્ગભાજપના ઝંડા જોવા મળે છે. જયારે બાજુની તસ્વીરમાં તંત્ર દ્વારા ઝંડા ઉતારવાની કામગીરી જોવા મળે છે.

(4:18 pm IST)